કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે નવા વર્ષની ભેટ તૈયાર છે. જાન્યુઆરી ૨૦૨૬થી મોંઘવારી ભથ્થાઅને મોંઘવારી રાહત માં ૨ટકાનો વધારો થવો લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. આ વધારા બાદ કર્મચારીઓનો ડા૫૮%થી વધીને ૬૦% થઈ જશે.લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી માટેના મુખ્ય આધાર એવા ‘ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ‘ માં નવેમ્બર ૨૦૨૫ દરમિયાન ૦.૫ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જેનાથી આ આંકડો હવે ૧૪૮.૨ પર પહોંચી ગયો છે.
૭મા પગાર પંચના નિર્ધારિત નિયમો મુજબ, મોંઘવારી ભથ્થુંછેલ્લા ૧૨ મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકના સરેરાશ આધારે નક્કી કરવામાં આવે છે. જુલાઈથી નવેમ્બર ૨૦૨૫ સુધીના સતત વધતા આંકડાઓને જોતા ડા અત્યારે ૫૯.૯૩%ની સપાટીએ પહોંચ્યું છે. આ સ્થિતિ સ્પષ્ટ કરે છે કે જો આગામી ડિસેમ્બર મહિનાનો ઇન્ડેક્સ સ્થિર રહે અથવા તેમાં સામાન્ય ઘટાડો થાય તો પણ, સરેરાશ મોંઘવારી ભથ્થું ૬૦%થી નીચે જવાની કોઈ શક્યતા નથી, જે કર્મચારીઓ માટે પગાર વધારાના સ્પષ્ટ સંકેત આપે છે. સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર, મોંઘવારી ભથ્થાની ગણતરી હંમેશા પૂર્ણાંકમાં કરવામાં આવે છે, જેનો અર્થ છે કે જો ગણતરી મુજબનો આંકડો ૬૦.૦૧%થી લઈને ૬૦.૯૯%ની વચ્ચે હોય તો પણ તેને સત્તાવાર રીતે ૬૦% જ માન્ય રાખવામાં આવે છે. આ નવો વધારો ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી અમલી બનશે, જોકે તેની સત્તાવાર જાહેરાત અને નોટિફિકેશન સરકારી પ્રક્રિયાઓને કારણે સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં બહાર પાડવામાં આવે છે. આ સંજોગોમાં, જાન્યુઆરી મહિનાથી લઈને જાહેરાત થાય ત્યાં સુધીના સમયગાળાનો તફાવત કર્મચારીઓને ‘એરિયર્સ‘(બાકી રકમ) તરીકે એકસાથે ચૂકવવામાં આવશે, જે હોળી કે ઉનાળાના વેકેશનના સમયે કર્મચારીઓ માટે આર્થિક રાહત સમાન બની રહેશે. આ વધારો એટલે પણ ખાસ છે કારણ કે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ૮મા પગાર પંચ પણ વર્ષ ૨૦૨૬ થી લાગુ થઈ શકે છે. જો આવું થાય, તો કર્મચારીઓના પગાર માળખામાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.